પ્રગતિ ભલે ધીમી થાય.
પણ ઈમાનદારી રાખજો.
કારણકે,
મન ગમતુ બઘું મળી જાય તો
જીવવા ની શુ મજા..??
જીવવા માટે એકાદ કમી પણ
જરુરી છે ..!!
મધ’ જેવું મીઠું પરિણામ જોઈતું હોય ને,
તો,
‘મધમાખી’ ની જેમ સંપી ને રહેવું પડે..
એક લાગણી પડી હતી,
તૂટેલી,વિખરાયેલી,તરછોડાયેલી
કોઈએ આવીને એને સમેટીને પોતાની કરી લીધી
ત્યારથી એનું નામ મિત્ર પડી ગયું.
માત્ર જીતનારો જ સિકંદર નથી…!!
પણ ક્યાં હારવું છે એ જાણનારો પણ સિકંદર જ હોય છે…
વિશ્વાસ મુકતા પહેલા પારખો સાહેબ કેમ કે,
દુનિયામાં નકલી લીંબુ પાણી
સ્પ્રાઇટ દ્વારા પીવડાવાય છે
અને
અસલી લીંબુ પાણી ફિંગરબાઉલમાં
હાથ ધોવા અપાય છે.!!!!
સુખ અને દુઃખ આપણા પરિવારના સદસ્ય નહીં,
પરંતુ મહેમાન છે….
વારાફરતી આવશે, થોડા દિવસ રોકાશે
અને જતા રહેશે…..
“ મારી પાસે એક સફરજન હોય ,
તમારી પાસે એક સફરજન હોય,
અને
આપણે એક બીજાને આપીએ,
તો બન્ને પાસે એક એક સફરજન રહે છે.
પરંતુ જો,
મારી પાસે એક વિચાર હોય,
અને તમારી પાસે પણ એક વિચાર હોય
અને જો આપણે,
તે એક બીજા ને આપીએ , તો
બંને પાસે બે વિચાર રહે છે !
-જયોજઁ બનાઁડઁ શો.